મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામે અંધશ્રદ્ધાના નામે એક મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં વિજાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મહિલાની નણંદ અને નણદોઈનો પણ સમાવેશ થાય છે. એક મહિલાની નણંદને તેની ભાભી પર કોઈ વહેમ હતો. આ વહેમને કારણે તેણે ગામના કેટલાક લોકો સાથે મળીને અંધશ્રદ્ધાનો સહારો લીધો. અંધશ્રદ્ધાના ભાગરૂપે, મહિલાને નિર્દોષ સાબિત કરવા માટે તેના હાથ ઉકળતા તેલમાં નાખવાની ફરજ પાડવામાં આવી હતી. આ ક્રૂર કૃત્ય દરમિયાન મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અંધશ્રદ્ધાના નામે એક મહિલા પર અમાનુષી અત્યાચાર













