અમદાવાદમાં લાંબા સમય બાદ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થયા. વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા જનજીવન અસરગ્રસ્ત થયું. ચાણ્કયાપુરીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાણક્યાપુરીના સેક્ટર 3માં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના રોજિંદા કાર્ય પર અસર થઈ છે. સામાન્ય વરસાદે તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી.


રસ્તાઓ પર અકસ્માતનું જોખમ

શહેરમાં બે દિવસથી ઝરમર તો કયારેક ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. જ્યારે સામાન્ય વરસાદમાં પણ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા AMCનો મોન્સૂન એકશન પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો. ચાણ્કયાપુરીમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાતા અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આવી સ્થિતિમાં રસ્તાઓ પર પગપાળા અથવા વાહનલઈને નીકળતા અકસ્માતનું જોખમ રહે છે તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.

તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

ચાણક્યપુરીના રહીશોનું કહેવું છે કે દરવર્ષેે ચોમાસામાં અમારા વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે. અમે આ બાબતે અનેક વખત પાણીના નિકાલ માટે તંત્રને રજૂઆત કરી છે. છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગમાં જનતાએ તંત્રની નબળી કામગીરી સામે રોષ ઠાલવ્યો. જનતાનું કહેવું છે કે આખરે અમારી પાસેથી રોડ ટેક્સ, વીજ ટેક્સ અને વિવિધ સવલતો પર ટેક્સ લેનાર સરકાર આખરે પોતાની જવાબદારીમાં કેમ પાછળ રહે છે?

  • Follow us on: