અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત મકાનો અંગે સરવે કરવામાં આવ્યો હતો. હવે રથયાત્રા પૂર્ણ થયા બાદ કાલુપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયાં છે. દુર્ગામાતાની પોળમાં ત્રણ મકાનો જર્જરીત હાલતમાં હોવાથી ધરાશાયી થયાં છે. મકાન હટાવવાની કામગીરી સમયે ઘટના બની છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તંત્રએ નોટીસ લગાવીને રસ્તાને બંધ કર્યો છે.
જર્જરિત મકાન હટાવવાની કામગીરી સમયે બની ઘટના













