અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગઈકાલ બાદ આજે પણ રાત્રે લાઠી શહેરમાં વરસાદનું આગમન થયું છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાના અંતિમ તબક્કામાં આવી રહેલો આ વરસાદ ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ધીમીધારે વરસાદથી વાતાવરણ પ્રસરી ઠંડક
ખાસ કરીને જે પાકોને પાણીની જરૂરિયાત છે, તેમને આ વરસાદથી ફાયદો થશે. આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળશે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જોકે, બીજી તરફ, ધીમીધારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.













