ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. અરવલ્લીની ગીરીમાળામાં વનરાજી ખીલી ઉઠી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધતા નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસ અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને કારણે મોડાસાના માઝુમ ડેમમાં પાણીની પુષ્કળ આવક નથી છે. જેના કારણે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
નદી કિનારાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં













