બનાસકાંઠાના થરાદમાં વીજ કરંટથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરૂષોના મોત નિપજ્યાં છે. પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પુત્રને બચાવવા જતાં માતા પિતાને પણ કરંટ લાગ્યો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પાણીની મોટર ચાલુ કરવા જતા લાગ્યો કરંટ

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં એક યુવકને કરંટ લાગ્યો હતો. યુવકને બચાવવા જતાં તેના માતા પિતા પણ કરંટનો ભોગ બન્યા હતાં. વહેલી સવારે ખેતરમાં બોર ચાલુ કરવા માટે મોટર ચાલુ કરવા જતાં આ ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં અરેરાટી પ્રસરી ગઈ છે.

પુત્રને બચાવવા જતા માતા-પિતાને લાગ્યો કરંટ

વાવના ધરાધરા ગામમાં વહેલી સવારે ખેતરમાં પાકને પાણી આપવા માટે બોર ચાલુ કરવાનો હતો. આ માટે પુત્રએ મોટર ચાલુ કરવા જતાં જ કરંટ લાગ્યો હતો. પુત્રને બચાવવા ગયેલા માતા પિતાને પણ કરંટ લાગતાં ત્રણેયનું મોત નિપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતાં સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. 

  • Follow us on: