જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરથી દેખાયું મનમોહક દ્રશ્ય અને ધુમ્મસ અને વાદળોની વચ્ચેથી ઝળહળ્યો ગિરનાર, દર્શનાર્થીઓને પણ મંત્રમુગ્ધ બનાવતું કુદરતી સૌંદર્ય, કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોમાં ગિરનાર બન્યો સૌનું આકર્ષણ કેન્દ્ર અને વરસાદી માહોલમાં નિહાળી શકાય છે ગિરનારનું સૌંદર્યના અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે, ગિરનાર પરના આકર્ષક વીડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ.


સૌરાષ્ટ્રના 6 બંદરે 3 અને 2 નંબરના સાવચેતીના સિગ્નલ

પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી ઓખા, પોરબંદર, વેરાવળ બંદરે 3 નંબરના સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જ્યારે જાફરાબાદ, પીપાવાવ અને જામનગરના બેડી બંદરે ૨ નંબરનું સિગ્નલ મુકાયું હતું. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી ઉપર વરસાદની આગાહી થઈ છે ત્યારે ઓખા, પોરબંદર, વેરાવળ બંદરીય વિસ્તારોના વાતાવરણમાં પણ સવારથી પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સામાન્ય પવન ફૂંકાયો હતો. ત્યારે આ ત્રણેય બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવીને માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે સૂચના અપાઈ હતી.

અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ

અમદાવાદ ગુજરાતના ૧૫૦થી વધુ તાલુકાઓમાં વરસાદ પડવા સાથે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ જારી કરેલ આગાહીના લીધે ખેલૈયાઓની મજા બગડી છે જ્યારે આયોજકોમાં નિરાશા પ્રસરી છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાં ધોધમાર વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં ૭.૪૦ ઈંચ અને ઉમરગાંવ તાલુકામાં ૫.૬૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, અમદાવાદ સહિત રાજ્યના ૨૨ તાલુકામાં સોમવારના રોજ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

 

  • Follow us on: