ગુજરાત વાસીઓ માટે સારાં સમાચાર સામે આવ્યા છે. નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમની સપાટીમાં છેલ્લાં 24 કલાકમાં 70 સેમીનો વધારો નોંધાવા પામ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 121.40 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 55 ટકા જેટલો ભરાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો












