હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતના નવસારીમાં મેઘરાજાએ નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો છે. નવસારીમાં વરસાદ થતાં માતાજીના પંડાલ અને પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેસરિયા નવરાત્રિ પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત ડુમસ રોડ પર નવરાત્રિનું પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
વરસાદને કારણે કેટલાક વિસ્તારોમા વ્યાપક નુકસાન થયું
નવસારીમાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમા વ્યાપક નુકસાન થયું છે. નવરાત્રિના આયોજકો વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે. ખેલૈયાઓને પણ વરસાદના કારણે મજા બગડી છે. બીજી તરફ ચીખલીમાં વાવાઝોડાને કારણે તાલુકાના 15 ગામમાં વ્યાપક નુકસાન થયું છે. તલાવચોરા, શામળા ફળિયા અને ખૂંધ ગામે તારાજી સર્જાઈ છે. ભારે પવનથી અનેક લોકોના ઘર અને પતરા ઉડી ગયા હતાં. વાવાઝોડાને કારણે ચીકુની વાડીમાં ભારે નુકસાન થયું હતું છે. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી માગ કરી છે.












