સુરતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પાલનપોર કેનાલ નજીક રણછોડનગરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ઘરમાં પુરાવા મજબૂર થયા હતા. રણછોડનગરમાં એક ઘરમાં 6 લોકો ફસાઈ જતાં તમામનું રેસક્યુ કરવામાં આવ્યું. ફાયરની ટીમે 6 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. શહેરમાં ગત સપ્તાહથી વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદે પગલે નદી નાળા છલકાયા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વરસાદનું જોર રહેતા અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરી












