સુરતના માંગરોળમાં કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે જેના કારણે નદીના પાણી નદી કિનારા અનેક વિસ્તારો અને ગામોમાં ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા નદી કાંઠે આવેલું કોસાડી ગામ બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને લોકો ફસાઇ ગયા છે. જો કે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે તંત્ર હજી સુધી તેમની મદદમાં પહોંચ્યું નથી


તંત્રનો એક પણ જવાબદાર કર્મચારી અહી પહોંચ્યો નથી.

માંગરોળમાં કીમ નદી જળબંબાકાર બની છે અને નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા છે જેથી કાંઠા વિસ્તારમાં આવેલા ગામો પણ જળબંબાકાર બન્યા છે. નદી કાંઠાનું કોસાડી ગામ પણ જળબંબાકાર બન્યું છે. કોસાડી ગામમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી પણ તંત્રનો એક પણ જવાબદાર કર્મચારી અહી પહોંચ્યો નથી.

નદીના પાણી કોસાડી ગામમાં ફરી વળ્યા

કીમ નદીના પાણી કોસાડી ગામમાં ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા ગામ બે ભાગમાં વહેંચાયું છે. ગામનો આદિવાસી મહોલ્લો સંપર્ક વિહોણો બની ગયો છે કારણ કે મહોલ્લાની ચારેબાજુ નદીના પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા 70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા બન્યા છે.

70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા બન્યા

જો કે આમ છતાં તંત્રની મદદ હજું ગ્રામજનો સુધી પહોંચી નથી. કોસાડી ગામના લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કોસાડી ગામને બિનવારસી છોડી દેવાયુ છે. ગત રાત્રીની ભરાયેલા પાણીનો હજું નિકાલ થઇ શક્યો નથી. જેથી 70 જેટલા પરિવાર સંપર્ક વિહોણા બન્યા છે.



  • Follow us on: