વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરોવરનું જળ સ્તર મેન્ટેન કરવા પાણી છોડ્યું છે. હાલ આજવા સરોવરની જળસપાટી 211.49 ફૂટે છે. જળસપાટી 211 ફૂટે આવતા પાણી બંધ કરાશે. હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી 14 ફૂટ છે.


વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું

શહેરના જીવાદોરી આજવા સરોવરની જળ સપાટી જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદના પગલે આજવા સરોવરમાં પાણીની આવક જોવા મળી રહી છે. ગુજરાતમાં પડી રહેલા સતત વરસાદના કારણે રાજ્યના તેમામ જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. વડોદરામાં આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે.

આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડાયું

વડોદરામાં આજવા સરોવરની સપાટીમાં વધારો થતા મનપા દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ આજવા સરોવરની જળસપાટી 211.49 ફૂટે છે. હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી 14 ફૂટ છે. આજવા સરોવરની જળસપાટી 211 ફૂટે આવતા પાણી બંધ કરાશે. સરોવરનું જળ સ્તર મેન્ટેન કરવા નિર્ણય કરાયો છે.


  • Follow us on: