હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે જેને કારણે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સક્રિય થશે.આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ખાબકશે. રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે તેના ચોક્કસ એંધાણ કહી શકાય એમ નથી.
અમદાવાદ અને આણંદમાં પણ વરસાદની શક્યતાઓ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ યથાવત છે. ચોમાસાના આગમનના હજુ કોઈ એંધાણ નથી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ અને આણંદમાં પણ વરસાદની શક્યતાઓ છે. ચોમાસુ 23 જૂને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પહોંચી શકે છે.













