મોરબીમાં યુરિયા ખાતરને લઈને કૌભાંડ થઈ રહ્યું છે. આ કૌભાંડને લઈને વધુ તપાસ કરવા સંદેશ ન્યૂઝની ટીમ જિલ્લામાં પહોંચી હતી. દરમિયાન પત્રકાર દ્વારા યુરિયા ખાતરને લઈને સંબંધિત લોકોને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા. ત્યારે કૌભાંડ અંગે પ્રશ્ન કરતાં 10 જેટલા લોકોએ સંદેશના પત્રકાર પર હુમલો કર્યો. અને મોબાઇલ સહિત તેમના કિમંતી સામાનની તોડફોડ કરી. હળવદના ભવાની ફાઉન્ડેશનના સંચાલકોએ કરી દાદાગીરી. સમગ્ર મામલે નોંધાઈ શકે ફરિયાદ.
યુરિયા ખાતર કૌભાંડ, એગ્રો ધારકની દાદાગીરી













