Morbiમાં દાંડિયા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજનું આંદોલન, સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા


મોરબીમાં દાંડિયા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ દ્વારા એક મોટું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોની હાજરીમાં એક જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સહિત તમામ વર્ગના લોકોએ આ સભામાં હાજરી આપી હતી.

મોરબીના ધારાસભ્ય અને ટંકારાના ધારાસભ્ય સભામાં ઉપસ્થિત રહ્યા

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જે આ આંદોલનને મળતા રાજકીય સમર્થનનું સૂચક છે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજને જાગૃત કરવાનો અને શહેરમાં ચાલતા દાંડિયા ક્લાસિસ બંધ કરાવવાનો હતો. સમાજના લોકોનું માનવું છે કે આવા ક્લાસિસ સામાજિક મૂલ્યો અને પરંપરાઓથી વિપરીત છે અને તેને બંધ કરવા જરૂરી છે.

માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે

આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. આ ઘટના દર્શાવે છે કે સામાજિક મુદ્દાઓ પર રાજકીય આગેવાનો પણ સક્રિય થયા હતા. ધારાસભ્યોની હાજરીથી આ આંદોલનને વધુ વેગ મળવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ આંદોલન કેટલું સફળ થાય છે અને દાંડિયા ક્લાસિસના સંચાલકો અને તંત્ર દ્વારા આ મામલે કેવું વલણ અપનાવવામાં આવે છે.


  • Follow us on: