નડિયાદ નજીકથી પસાર થતી એક કેનાલમાં ડૂબી જવાથી એક આધેડ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટના નડિયાદમાંથી પસાર થતી કેનાલમાં બની હતી. જ્યાં કોઈ અગમ્ય કારણોસર એક આધેડ વ્યક્તિ કેનાલમાં પડી ગયા હતા. કેનાલના પ્રવાહમાં તણાતા તણાતા તેમની લાશ પીજ રોડ તરફ નીકળી હતી.
સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો













