નડિયાદમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. નડિઆદમાં પ્રગતીનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના 133 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર 900 જેટલા મકાનોના પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદમાં સ્વચ્છતા બાબતે મુખ્યમંત્રીએ ટકોર કરી છે.


નડિયાદમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ 

મુખ્યમંત્રીએ કહ્યું કે સાહેબ આવે એટલે રોડ બની જાય તેવી રીલ બને છે. સાહેબ આવે એટલે સ્વચ્છતા જળવાય તેવું ન હોય. અમે આવીએ કે ન આવીએ સ્વચ્છતા જળવાવી જોઇએ. નડિઆદમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે સી.એમએ ટકોર કરી છે. સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય તેવી રીલ બને છે.

નડિયાદમાં સ્વચ્છતા બાબતે મુખ્યમંત્રીની ટકોર કરી 

વધુમાં સીએમે કહ્યું કે પણ અમે એવુ ઈચ્છતા નથી, અમે આવીએ કે ન આવીએ રોજેરોજ સ્વચ્છતા જળવાય રહેવી જોઈએ, અને પ્રજાજનોને કોઈ જ તકલીફ ન પડે તે રીતનું આપણું આયોજન હોવું જોઈએ. આવી ફઝલ બને તો તેને આપણે પોઝિટિવ લેવાનું, સ્વચ્છતા જરૂરી છે અને દરેકને તે ગમે છે આપણે ક્યાક નાની મોટી ભૂલ કરી દઈએ છે. તમે જેટલું ધ્યાન રાખશો એટલું લોકો સ્વચ્છતામાં તમારી સાથે ઉભા રહેશે.


  • Follow us on: