ગુજરાત એસટી નિગમે લોકોની સુવાધામાં વધારો કરવા નડિયાદ ડેપો સંચાલિત 4 રૂટ પર નવીન બસોની ફાળવણી કરી છે. આ કમાગીરીથી હજારો મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ ઝાલોદ-ઉના (અપ અને ડાઉન) એમ બે બસો, નડિયાદ-રાધનપુર અને નડિયાદ-મોરબી રૂટ પર દોડશે.


નડિયાદ ડેપો સંચાલિત 4 રૂટ પર નવીન બસોની ફાળવણી 

અગાઉની બસોના કિલોમીટર પૂર્ણ થતાં નવી બસ ફાળવવામાં આવી છે. આ નવી બસોના લોકાર્પણનો કાર્યક્રમ નડિયાદ ડેપો ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નડિયાદ એસટી વિભાગના નિયામક સી.ડી.મહાજન, નડિયાદ ધારાસભ્ય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

હજારો મુસાફરોની સુવિધામાં વધારો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસો દ્વારા જિલ્લાના હજારો લોકોને સીધો લાભ મળશે. ગુજરાત એસટી નિગમ અવારનવાર મુસાફરોના હિત માટે આવા પગલાં ભરતું રહે છે.

  • Follow us on: