નવસારી શહેરના લોકો માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટેની નવસારીના મોવડી મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સફળ રહી છે. હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે. રજૂઆત સફળ થતાં લોકોએ રાહત અનુભવી છે. હવેથી નવસારીવાસીઓના ઘર આંગણેથી વંદે ભારત ટ્રેનમાં સફર કરી શકશે. રેલવે મંત્રીને કરેલી રજૂઆત ફળી છે. આ નિર્ણયથી લોકોને મળશે રાહત.
સી.આર. પાટીલની અધ્યક્ષતામાં રેલવે મંત્રીને કરેલી રજૂઆત ફળી













