પંચમહાલ જિલ્લાના કાલોલમાં મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપોથી ખળભળાટ મચ્યો હતો. આ મામલે કાલોલના તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમણે એક તપાસ સમિતિની રચના કરી છે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ યોજના હેઠળ થતા કામો, શ્રમિકોની હાજરી અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ થઈ હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા.
કાલોલના TDOએ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા













