પંચમહાલના કાલોલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સસ્તા અનાજની દુકાનમાં જથ્થાનું વિતરણ કરાયું હતું જેમાં ચણાના જથ્થામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનનો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળ્યો છે. આ બાબતે સંચાલકોએ રજૂઆત કરતા જથ્થો પરત મંગાવ્યો છે. એક મહિનાનો જથ્થો એડવાન્સ અપાયો હોવાનો ખુલાસો થયો છે.


ચણાના જથ્થામાં જીવાત નીકળી

કાલોલ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિતરણ કરેલ ચણાનો મોટો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળ્યો છે. ચણાના જથ્થામાં જીવાત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ કાલોલ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં આ જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો. જે તે એજન્સીને જથ્થો પરત કરવામાં આવશે.

 7 હજાર કિલો ચણાનો જથ્થામાં જીવાત નીકળી

દુકાનદારોને મધ્યાહન ભોજન સંચાલકોએ રજૂઆત કરતા તમામ જથ્થો પરત મંગાવ્યો છે. તાલુકામાં અંદાજીત 7 હજાર કિલો ચણાનો જથ્થો આવ્યો હતો. કાલોલ તાલુકાના ગોડાઉન મેનેજરે જીવાત વાળો તમામ જથ્થો પરત મંગાવ્યો છે. જે તે એજન્સીને જથ્થો પરત કરવામાં આવશે. ચણાનો નવો જથ્થો આવતા બદલી આપવા આવશે. એક મહિનાનો જથ્થો એડવાન્સ અપાયો હોવાનો ખુલાસો થયો છે.

  • Follow us on: