મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં સ્થાન મળ્યું છે. તેમને મંત્રી તરીકે શપથ લેવાનો ફોન આવી ગયો છે.


તેઓ સંઘના કાર્યકર પણ હતા.

સ્થાનિક સ્તરે કાનાભાઇ તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ થયો હતો. મોરબી પુલ દૂર્ઘટના વખતે તેમણે બાળપણમાં સ્વૈચ્છીક કાર્યકર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ યુવાનીમાં એબીવીપી સાથે જોડાયા હતા. તેઓ સંઘના કાર્યકર પણ હતા.

ભાજપના કાર્યકર તરીકે કામ કરવાનું શરુ કર્યું

ત્યારબાદ તેમણે ભાજપના કાર્યકર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. તેમણે મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું હતું. તેમણે તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું.

1995માં કાનાભાઇ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા

1995માં કાનાભાઇ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે. થોડા વર્ષ પહેલા જ્યારે મોરબીમાં ઝુલતો પૂલ તુટ્યો હતો ત્યારે તેમણે લોકોનો જીવ બચાવવા પાણીમાં ઝંપલાવી દીધું હતું. મોરબી વિસ્તારમાં તેઓ સામાજીક કાર્યો માટે પણ જાણીતા છે.


  • Follow us on: