ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના શપથ સમારોહની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાશે. આજે શપથ સમારોહની તૈયારીની મંત્રીઓ અને અધિકારીઓએ સમિક્ષા કરી હતી


કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે

નવા મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે છે તો રાજ્યકક્ષાના મંત્રીઓને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. કેટલાક મંત્રીઓને પણ સ્વતંત્ર પ્રભાર મળી શકે છે.

રાજ્યપાલ સાથેની મુલાકાતમાં નવા મંત્રીની યાદી સોંપાશે

રાજ્યપાલ સાથેની મુલાકાતમાં નવા મંત્રીની યાદી સોંપાશે. અગાઉ મુખ્યમંત્રી - પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની દિલ્હી મુલાકાત વખતે નામોની ચર્ચા થઇ હતી. મુખ્યમંત્રી આજે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. મુલાકાત બાદ તેઓ ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક થશે

મોડી રાત્રે સત્તાવાર રીતે ધારાસભ્યોને મંત્રી શપથ લેવા માટે જાણ કરાશે

આ બેઠક સીએમ બંગલો કે ગાંધીનગર સર્કિટ હાઉસ કે અમિત શાહના નિવાસ સ્થાને બેઠક થઈ શકે છે. આજે મોડી સાંજે આ બેઠક મળશે. બેઠક બાદ મોડી રાત્રે સત્તાવાર રીતે ધારાસભ્યોને મંત્રી શપથ લેવા માટે જાણ કરાશે

 કેબિનેટ કે રાજ્યકક્ષાના દરજ્જાની જાહેરાત સ્ટેજ પરથી થશે.

હાલ તો પ્રાથમિક ધોરણે ફક્ત મંત્રી પદ માટેની જ ધારાસભ્યોને જાણ કરાશે. તેમને ફક્ત ફોન પર જાણ કરીને શપથ લેવાની સુચના અપાશે. કેબિનેટ કે રાજ્યકક્ષાના દરજ્જાની જાહેરાત સ્ટેજ પરથી થશે.

મહાત્મા મંદિર ખાતે શપથવિધિની તૈયારીઓની સમીક્ષા

બીજી તરફ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ગાંધીનગરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિરમાં પહોંચ્યા હતા અને મહાત્મા મંદિર ખાતે શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમની સાથે મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ પણ હાજર હતા. તેમણે બેઠક વ્યવસ્થાના લે - આઉટની પણ સમીક્ષા કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આવતીકાલે 12.39 કલાકે શપથવિધિ થશે અને અમે કાલના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી છે.


  • Follow us on: