ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓના બફાટ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે બે ત્રણ હજારના મતદાર મંડળોમાંથી જનપ્રતિનિધીઓને ચૂંટવા યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 20 લાખ મતદારો ધરાવતા લોકસભા ક્ષેત્રોના સાંસદ મિતેષ પટેલે આણંદના આંકલાવમાં કોંગ્રેસનો ઉમેદવાર જિતશે તો એક રૂપિયાની ગ્રાન્ટ નહી આપુ તેવી જાહેર મંચ પરથી ચિમકી આપ્યા પછી ભાજપમાં ચૌમેરથી આવા ધાક ધમકીના સુર ઉઠયા છે.
તાલાલાના ધારાસભ્યએ મતદારોને ચીમકી આપી
ત્યારે હવે ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે સુત્રાપાડામાં પોતાના જ સમાજનો ઉલ્લેખ કરીને આ ચૂંટણીમાં ભાજપનો ભરોસો તોડયો વિશ્વાસ તોડયો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે એવું કહેતા હવે સૌરાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.વિધાનસભા 2022ની ચૂંટણીના પહેલા જ ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.આ સિનિયર ધારાસભ્યે સુત્રાપાડાના ગોરખમઢી ગામે રખેને ભૂલ નહી ખાતા જાહેર મંચ ઉપરથી કહુ છુ કે વિશ્વાસ તોડયો,ભરસો તોડયો તો મારા ઘરના બારણા કાયમના માટે બંધ થઈ જશે.એવા લોકોને હું નહિ સ્વીકારૂ કે જેમના કારણે મે કોઈને ભરોસો આપ્યો છે.













