જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડાનું સભ્યપદ રદ થતાં શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાયેલા સોનલબેનનું જાતિ પ્રમાણપત્ર ગાંધીનગરની વિશ્લેષણ સમિતિએ રદ જાહેર કરતાં મનપા કમિશનરે તેમના કોર્પોરેટર પદને તાત્કાલિક રદ કરી દીધું છે.
આદિજાતિ બેઠક માટે સોનલબેન રાડાએ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં 15ના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનુસૂચિત આદિજાતિ બેઠક માટે સોનલબેન રાડાએ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને આ બેઠક ઉપરથી ચૂંટાયા હતા. તેમનું આદિજાતિ પ્રમાણપત્ર જાન્યુઆરી 2016માં જૂનાગઢ શહેરમાંથી કઢાવવામાં આવ્યું હતું.નિયમ મુજબ આ પ્રમાણપત્ર ખરાઈ માટે એપ્રિલ 2025માં ગાંધીનગરની વિશ્લેષણ સમિતિને મોકલવામાં આવ્યું હતું.23 સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્લેષણ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો જેમાં સોનલબેન રાડાનું આદિજાતિ પ્રમાણપત્ર રદ જાહેર કરવામાં આવ્યું હતું.













