તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તાજગી ચકાસવી કેટલી જરૂરી છે. તે સાબિત કરતો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરના પુષ્કરધામ વિસ્તાર પાસે આવેલી વૃંદાવન ડેરીમાંથી એક ગ્રાહકે ખરીદેલું કોલ્ડ્રિન્ક એક્સપાયરી ડેટ વીતી ગયેલું નીકળ્યું હતું. એક ગ્રાહકે વૃંદાવન ડેરીમાંથી એક જાણીતી કંપનીનું કોલ્ડ્રિન્ક ખરીદ્યું હતું. ઘરે જઈને જ્યારે તેણે તે પીણું પીવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો સ્વાદ અસામાન્ય લાગ્યો હતો.
ખરીદેલું કોલ્ડ્રીંક એક્ષપાયરી ડેટનું નીકળ્યું
શંકા જતાં ગ્રાહકે તેની એક્સપાયરી ડેટ તપાસી તો ખબર પડી કે પીણું લાંબા સમય પહેલા જ બગડી ગયું હતું અને તેની ઉપયોગ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી. આ કડવા અનુભવ બાદ ગ્રાહકે તાત્કાલિક ડેરી પર પાછા જઈને અન્ય કોલ્ડ્રિન્ક્સની જાતે ચકાસણી કરી હતી. ગ્રાહકનો દાવો છે કે દુકાનમાં સ્ટોક કરાયેલા મોટાભાગના કોલ્ડ્રિન્ક્સ પણ એક્સપાયરી ડેટના હતા અથવા તો તેમની ડેટ નજીકના ભવિષ્યમાં જ પૂરી થવાની હતી.













