નવરાત્રિને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિ પહેલા રાજ્યમાં ગરબામાં વિધર્મીઓના પ્રવેળશને લઈને વિરોધ અને વિવાદ થઈ રહ્યો છે. આ મામલે જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. નવરાત્રિમાં મહંત ઈન્દ્રભારતી બાપુએ યુવાનોને અપીલ કરી છે. દીકરીઓ વિધર્મીઓથી સલામત રહે તેનું ધ્યાન રાખજો અને દાંડિયા ઓછા રમજો પણ દીકરીઓને સલામત રાખજો.નવરાત્રીમાં વિધર્મીઓ ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં ઘૂસે છે. ડુપ્લિકેટ આધારકાર્ડથી ઘૂસીને દીકરીઓને ફસાવે છે. જરૂર પડે તો દીકરીઓ માટે માથા આપી દેજો.


મહંત ઈન્દ્રભારતી બાપુ ગણેશ પંડાલમાં હાજર રહ્યા

રાજકોટમાં જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુ આવ્યા હતા. તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલમાં આરતી કરી હતી. જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરી મહંત ઈન્દ્રભારતી બાપુએ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન નજીકના દિવસોમાં આવી રહેલી નવરાત્રિના તહેવારને લઈને વિધર્મીઓ અંગે નિવેદન કર્યું હતું.

મહંત ઇન્દ્રભારતી બાપુનું વિધર્મીઓ મામલે નિવેદન

જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુનું વિધર્મીઓ મામલે રાજકોટમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ આપ્યું વિધર્મીઓ મામલે નિવેદઇન્દ્રભારતી બાપુએ કહ્યું દાંડિયા ઓછા રમજો પણ દાંડિયારાસમાં બહેનો, દીકરીઓ વિધર્મીઓથી કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો. દાંડિયારાસમાં વિધર્મીઓ ચાંદલા કરે, હાથમાં ટેટુ કરે, ડુપ્લિકેટ આધારકાર્ડ થકી ગ્રાઉન્ડમાં ઘૂસે અને બહેનો દીકરીઓને ફસાવે છે.યુવાનોને ઇન્દ્રભારતી બાપુ એ વિનંતી કરી છે.


  • Follow us on: