રાજકોટ મનપા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. બે મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે. શહેરના બે ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જગનાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર, ભક્તિનગર સહિતના વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરમાં પાણી વિતરણ અંગે નાગરિકોએ અનેક ફરિયાદો કરી છે.
રાજકોટ મનપા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ












