રાજકોટ રતનપર ગામના લોકોએ મારવાડી યુનિવર્સિટીના છાત્રોને લઈને વિરોધ મામલે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમો એ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. રતનપર ગામના લોકો અને સરપંચ અમને મળ્યા છે. અમને તેઓએ સમગ્ર વિવાદને લઈને વાત કરી છે, અમારા છાત્રો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. જે વાત નશા અને અનૈતિક પ્રવૃતિને લઈને છે તો અમે પોલીસ ફરિયાદ માટે પણ તૈયાર છીએ અમને આશા છે કે અમારા છાત્રો આ પ્રવૃત્તિ સાથે નહીં જોડાઈ શકે. જોકે ગેરકાયદે કામ સાથે જોડાયેલા હોઈ તો પોલીસ કાર્યવાહી સ્વીકાર્ય છે.


મારવાડી યુનિવર્સિટીના છાત્રોને લઈને વિરોધ 

રાજકોટ શહેરમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. આફ્રિકન વિદ્યાર્થિઓની ગ્રામજનો સાથે બોલાચાલી થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીઓ દેહ વ્યાપાર કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

આફ્રિકન વિદ્યાર્થિઓની ગ્રામજનો સાથે બોલાચાલી 

શહેરના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિધાર્થીનીઓએ હંગામો કર્યો હાવાની ઘટના સામે આવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે વિધાર્થીનીઓ દેહ વ્યાપારનો ધંધો કરે છે. આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને બોલાચાલી થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે વિધાર્થીનીઓ અને ગ્રામજનોના નિવેદન લીધા હતા.


  • Follow us on: