રાજકોટ AIIMS તરફથી સૌરાષ્ટ્રના લોકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ મહિનાની અંદર AIIMS રાજકોટ ખાતે ન્યૂરોસર્જન એટલે કે મગજ અને કરોડરજ્જુના સર્જનની સેવા ઉપલબ્ધ્ધ થશે. આ સેવાના કારણે સરાષ્ટ્રભરના દર્દીઓને મોટી રાહત મળશે.


સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ જવું પડતું હતું

તમને જણાવી દઈએ કે, હાલમાં સૌરાષ્ટ્રની એક પણ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જનની સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે મગજ કે કરોડરજ્જુ સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. પરંતુ હવે રાજકોટ AIIMS માં આ સેવા શરૂ થતાં સ્થાનિક લોકોને પોતાના જ પ્રદેશમાં અત્યાધુનિક સારવાર મળી શકેશે.

15 OPD, ન્યૂરોસર્જન, મેમોથેરેપીની સુવીધા મળશે

AIIMS રાજકોટ દ્વારા 15 OPD, ન્યૂરોસર્જન અને મેમોથેરાપી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ન્યૂરોસર્જનની ઉપલબ્ધતાથી મગજની ગાંઠ, કરોડરજ્જુની ઈજાઓ, સ્ટ્રોક અન્ય જટિલ ન્યુરોલોજીકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી શકેશે. આ પગલું સૌરાષ્ટ્ર આતોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.


  • Follow us on: