રાજકોટના મેંગો માર્કેટ પાસેથી પકડેલા ઢોર માલિકો દાદાગીરી કરીને છોડાવી ગયા છે, મનપાએ પકડેલા 20થી 25 ઢોરને માલિકો છોડાવી ગયા છે, પોલીસ અને વિજીલન્સના સ્ટાફની હાજરીમાં દાદાગીરી કરી હતી અને ટ્રેકટરમાં ઘુસીને દરવાજો ખોલીને ઢોરને છોડાવ્યા હતા, રાજકોટ-અમદાવાદ હાઈવેનો વીડિયો વાયરલ થયો હતો અને પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઇ હોવાની વાત સામે આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકોએ કરી દાદાગીરી
રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી અને મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડેલા ઢોર માલિકો છોડાવી ગયા છે, કાર અને બાઈકમાં આવેલા 20 થી 25 જેટલા માણસો આ પશુને છોડાવી ગયા હોવાની વાત સામે આવી છે. પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી આપવામાં આવી છે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં ન આવી.













