રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ હતી. જાણીતા લોકગાયિકા મીરાબેન આહિરને હોસ્પિટલ સ્ટાફના કડવા અનુભવનો ભોગ બનવું પડ્યું હતું. જેને પગલે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમના ભાઈની સારવાર માટે હોસ્પિટલમાં કેસ લેવામાં નહોતો આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.


નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીને કરાયા સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોક ગાયિકા મીરાબેન આહિર સાથે ગેર વર્તન કરનાર સ્ટાફ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ સોંપ્યા બાદ નર્સિંગ સ્ટાફના ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. મીરાબેન આહિર પોતાના ભાઈની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગયા હતા. 45 મિનિટ સુધી તેમનો કેસ દાખલ કરવામાં આવ્યો નહતો.

ગાયક મીરા આહીર સાથે કર્યું હતું ગેરવર્તન

મીરાબેન આહિરે એક વીડિયો મારફતે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેમણે આ અંગે પૂછપરછ કરી ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને કહ્યું કે, કેસ દાખલ નહીં કરીએ થાય તે કરી લે.સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર ડોક્ટર અને સ્ટાફ દ્વારા અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. લોકોમાં સિવિલ હોસ્પિટલની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: