ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક રોડ અને રસ્તા ખરાબ થઈ ગયાં છે. લોકો ખરાબ રસ્તાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યાં છે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. તેમણે રોડ અને રસ્તાની રજૂઆત કરતા સમયે મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરને ચોર કહ્યા હતાં અને પોતાને શાહુકાર ગણાવ્યા હતાં.
હર્ષદ પટેલની સામે શબ્દોની મર્યાદા ચૂક્યા













