શ્રદ્ધાનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે જ્યારે લોકો ભક્તિભાવથી વ્રત અને ઉપવાસ કરે છે તેવામાં રાજકોટમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડાં થયાનો મામલો સામે આવ્યો છે. ફરાળી પેટીસમાં મકાઇના લોટનો ઉપયોગમાં લેવાતો હતો. ફૂડ વિભાગની ટીમે તપાસ કરતા મોટો ખુલાસો કર્યો છે. જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લેવાયા હતા. જે પેટીસમાં મકાઇનો લેટ ભેળવી વેચવામાં આવતો હતો. 85 કિલો વાસી પેટીસ તથા 5 કિલો મકાઇનો લોટ જપ્ત કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે ઝડપી દીધો મકાઈના લોટથી બનેલો ફરાળી ફરસાણ













