ગુજરાતમાં સાતમ આઠમના તહેવારો શરૂ થયાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આ તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટે જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જતા પ્રવાસીઓ ટ્રાફિક જામમાં ફસાયા છે. તહેવારોને કારણે સૌરાષ્ટ્રમા ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ જેતપુર હાઈવે પર દોઢ વર્ષથી સિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જતા પ્રવાસીઓ ફસાયા













