રાજકોટના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા લોકમેળાને હવે એક નવું અને અનોખું નામ મળ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી મંગાવવામાં આવેલા અભિપ્રાય અને સૂચનોને આધારે લોકમેળાનું નામ "શૌર્યનો સિંદૂર લોકમેળો" રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પરંપરાગત મેળાને એક નવી ઓળખ અને સન્માન મળ્યું છે.


10 નામોમાંથી એકની પસંદગી

લોકમેળા સમિતિ દ્વારા મેળાના નામકરણ માટે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકો પાસેથી આવેલા હજારો અભિપ્રાયોમાંથી શ્રેષ્ઠ 10 નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાંથી ચર્ચા-વિચારણા બાદ "શૌર્યનો સિંદૂર લોકમેળો" નામ પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી. આ નામ શૌર્ય, બલિદાન અને લોકકલાના વારસાને ઉજાગર કરે છે, જે મેળાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે

રાજકોટનો આ લોકમેળો દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષે છે અને લોકકલા, સંસ્કૃતિ, અને પરંપરાનું કેન્દ્ર બની રહે છે. આ નવા નામકરણથી મેળાની પ્રતિષ્ઠામાં વધારો થશે અને તે વધુ યાદગાર બનશે.


  • Follow us on: