શહેરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને નિખિલ રાજેશભાઈ ચંદારાણા નામના યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના પહેલા નિખિલે એક વીડિયો પણ ઉતાર્યો હતો અને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે વ્યાજખોરોનો ત્રાસ અને પોલીસ કાર્યવાહી ન થવા અંગેના આક્ષેપો કર્યા છે.
યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો













