ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને શાહપુર પહોંચી હતી. જ્યાં કોમી એકતાનો સંદેશ અપાયો હતો. શાહપુરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


રથયાત્રામાં શાંતિના પ્રતિક સફેદ કબૂતર ઉડાવ્યા

શાહપુરમાં ભગવાનની રથયાત્રા આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ સહિતના લઘુમતિ તથા હિન્દુ આગેવાનો દ્વારા ભગવાનના રથ અને મહંત દીલિપદાસજીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ દરમિયાન કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો. મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજી સહિત મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

કબૂતર ઉડાડી કોમી એકતાનો સંદેશ અપાયો

આ ઉપરાંત દરિયાપુર અને શાહપુરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહપુર પહોંચેલી રથયાત્રામાં કોમી એકતાના પ્રતિક સમાન સફેદ કબૂતર ઉડાડીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 

  • Follow us on: