સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં માત્ર 12 વર્ષના એક વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અવનીશ સુશીલભાઈ તિવારી છે. જે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અવનીશના માતા-પિતાએ તેને વાંચવા-ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાત તેને માઠું લાગી જતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.


ઉધના વિસ્તારમાં શુભમ રેસીડેન્સીનો બનાવ

જેમાં અવનીશે શુભમ રેસિડેન્સીના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાતની આ ઘટના પહેલાંના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અવનીશ રેસિડેન્સીના નવમા માળે લિફ્ટમાં જતો જોવા મળે છે. ફૂટેજ અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે અનુમાન લગાવ્યું છે કે ઠપકાથી માઠું લાગી આવતાં તેણે આ પગલું ભર્યું છે.

વાલીએ ભણવા બાબતે ઠપકો આપતા આપઘાત

પરિવારનો એકના એક દીકરો ગુમાવતાં તિવારી પરિવારનો શોક અને આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની જાણ થતાં ઉધના પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભણતરના દબાણ અને માતા-પિતાના ઠપકાના કારણે એક નાની ઉંમરના બાળકે પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાની આ ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે.


  • Follow us on: