સુરતના રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં એક 27 વર્ષીય માતાએ પોતાના બે માસુમ બાળકો સાથે માલગાડી ટ્રેન નીચે સુઈ જઈને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મહિલા પોતાના બે બાળકોને લઈને સુરત રેલવે સ્ટેશન નજીક પહોંચી હતી. આપઘાતના ઈરાદે મહિલા બંને બાળકોને લઈને રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીની અડફેટે આવતા આ દુર્ઘટના બની હતી.


માલગાડી આવતા ટ્રેક પર બાળકો સાથે ઝંપલાવ્યું

ટ્રેન પસાર થતા જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. તબીબો દ્વારા બને બાળકોને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા

આ મહિલાએ કયા કારણોસર આટલું ગંભીર પગલું ભર્યું તે અંગેની વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં પારિવારિક સમસ્યાઓ કે આર્થિક તંગી જેવા કારણો જવાબદાર હોઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ અને તેના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ કરૂણ ઘટનાએ લોકોમાં શોક અને સહાનુભૂતિની લાગણી ફેલાવી હતી. 

  • Follow us on: