સુરતના મહુવા તાલુકામાં કરચેલીયા ગામની આદિવાસી સમાજની સગીર દીકરીની છેડતી બાબતે લોકોમાં રોષ ફેલાયો હતો. દુકાનદાર કિશન મારવાડી નામના વ્યક્તીએ સગીરાની છેડતી કરી હતી. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ઘેરાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આ બાબતે આદિવાસી આગેવાનો અને નેતાઓ સામસામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. આદિવાસી સમાજના ભોગ બનનારના પરિવારની વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ મુલાકાત લીધી હતી. 



ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે નિશાન સાધ્યું 

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસ સામે નિશાન સાધતાં જણાવ્યું હતું કે, સ્થાનિક પોલિસ કેટલાક આગેવાનોને સાથે રાખીને શરૂઆતમાં ફરિયાદ નહીં થાય તેવા પ્રયાસો કરતાં શરૂઆતમાં ગુનેગારોને છવારવાનો પ્રયાસ કર્યા હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો પોલીસ ઘટનામાં ઢીલું મુકશે તો આવતા સપ્તાહે કરચેલીયામાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમ કરશે. તેવી જાહેરાત કરી હતી.


છેડતી કરનાર કિશન મારવાડીની ધરપકડ કરાઈ

પોલીસે શરૂઆતમાં ગુનેગારો દુકાનદાર કિશન મારવાડીને છવારવાનો પ્રયાસ કર્યા હતો તેવો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી પણ લગાવ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ કરી આગ ચાંપી હતી. આ ઘટના વિશે વિશેષમાં જણાવીએ તો ઘટનાના દિવસે જ છેડતી કરનાર કિશન મારવાડીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

  • Follow us on: