સુરતના ઉધના વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉધનામાં રીપેરિંગ કરતા સમયે AP માર્કેટનો બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં બે શ્રમિકો દટાયા હતાં. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતાં.બે શ્રમિકોમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
AP માર્કેટમાં રિપેરિંગ કરતા સમયે બની દુર્ઘટના













