સુરતમાં થયેલા વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ભરાઈ જવાથી લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ખાસ કરીને નાના વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાડી નજીક આવેલા પુરને કારણે રઘુકુલ માર્કેટ સહિત આઠ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે સાડીનો માલ પલળી ગયો હતો. જેના કારણે જે સાડી નંગના ભાવે બે હજારની કિંમતમાં વેચાતી હતી તે સાડીઓને 100 રૂપિયે કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો છે.
સાડીને કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો













