સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ચાર વર્ષથી પલસાણા તાલુકામાં આતંક મચાવી રહેલો એક દીપડો આખરે વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં કેદ થયો છે. દીપડાના પકડાવાથી સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે તેઓ છેલ્લા લાંબા સમયથી તેના ભય હેઠળ જીવી રહ્યા હતા.
ચાર વર્ષથી દીપડાનો આતંક













