સુરતના મહિધરપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. યુવક રાજાની રાહુલ નામના શખ્સે હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. જૂની અદાવતમાં હત્યા કર્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ અને હત્યાનું ચોક્ક જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિકોની પૂછપરછના આધારે આરોપીને ઝડપી લેવા તે દિશામાં તપાસ હાથ ધરી છે.


સુરતના મહિધરપુરામાં યુવકની હત્યા

સુરત શહેરના વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિધરપુરા વિસ્તારમાં યુવકને રેહસી નાખ્યો છે. રાજા નામના યુવકને રાહુલ નામના હત્યારાએ હત્યા કરી ફરાર થયો છે. જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવક પર ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે.

જૂની અદાવતમાં હત્યા કર્યાનું અનુમાન 

મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV એકઠા કરી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનમાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.


  • Follow us on: