ઉત્તર ગુજરાતના વિસનગર નજીક ઊંઝા ખાતે બિરાજમાન મા ઉમિયાના મંદિરમાં અમેરિકામાં રહેતા એક ભક્ત દ્વારા 3.35 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ દાનથી મા ઉમિયા પ્રત્યેની વિદેશસ્થ ભક્તોની અતૂટ શ્રદ્ધા ફરી એકવાર જોવા મળી છે. આ સોનાનો હાર અમેરિકામાં રહેતા દાતા પિન્કીબેન જતીનકુમાર કમાણીયા દ્વારા મા ઉમિયાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે.
અમેરિકાના ભક્તનું ઊંઝા ઉમિયા મંદિરને દાન













