વડોદરામાં ડિજિટલ અરેસ્ટના ત્રાસના કારણે ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. વડોદરા જિલ્લાના ડભોઈના કાયાવરોહણમાં ખેડૂત અતુલ પટેલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. તેમને 40 કરોડનો ફ્રોડ થયો છે, તેમ કહી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.


જે બાદ ખેડૂતને દર 5 મિનિટે કોલ કરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી રહી હતી. ખેડૂતને વોટ્સએપ અને વિડિયો કોલ કરીને સતત ધમકાવવામાં આવી રહ્યા હતા. જે કારણે કંટાળીને તેમને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

સાઈબર ગઠિયા દ્વારા ATSના નામથી કોલ કરીને ખેડૂતને ધમકી આપવામાં આવી હતી. આ ખેડૂત પરિવાર વડોદરામાં રહેતો હતો. મુળ તેઓ ડભોઇના કાયાવરોહણ ગામના વતની છે. અતુલભાઇ ખેડૂતે સાયબર ફ્રોડ થયું હોવાના કારણે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

  • Follow us on: