વડોદરા શહેરમાં અવાર નવાર લોકોને વીજધાંધિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે છેલ્લા પાંચ મહિનાથી વીજ તંત્ર દ્વારા નાગરીકોને વીજ બીલ આપવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે નાગરીકોએ પોતાનો રોષ ઠલવ્યો છે. પાંચ મહિનાનાથી વીજ બીલ ન આવતા વક્રતુંડ સોસાયટીના રહિશોએ પોતાનો આક્રોશ ઠલવ્યો છે. વક્રતુંડ સોસાયટીના રહિશો દ્વારા ઈન્દ્રપુરી સબ ડિવિઝન ઓફિસ ખાતે પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
20 હજારની રકમનું બીલ મળતા રહિશોનો પારો ફાટ્યો













