વલસાડના સરીગામમાં કોલેરાના કેસો સામે આવતા આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. ગામમાં પાણીના સેમ્પલો લઈને દવા આપવાની કામગારી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગની 6 જેટલી ટીમ કામે લાગી છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી નિયત્રંણ માટે પ્રાત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.


સરીગામમાં કોલેરાના કેસ

સરીગામના ગણેશ નગરની ચાલમાં કોલેરાના કેસો બહાર આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પાણીના સેમ્પલો લઈ લોકોને દવાઓ અપાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સરીગામના ગણેશ નગરના ગુડુ બાલા રાઈની ચાલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરી નિયત્રંણ માટે પ્રાત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. પાંચ દર્દી ભીલાડ અને ત્રણ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

લોકોમાં ભયનો માહોલ

સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. કોલેરાના લક્ષણો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાને વધુ ફેલાતાં રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગામમાં કોલેરા ફાટી નીકળ્યો હોવાની વાતને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: