ધરમપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC'ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.


આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતના યુવાનોમાં આ ત્રણેય ગુણો અને ક્ષમતા છે.આપણો યુવાન સ્કીલ,વિલ અને ઝિલના બળે પથ્થરમાંથી પાણી કાઢી શકવા સમર્થ છે.બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી.આજે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત છે. આજે આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે

ધરમપુર PSVTCમાં 30 જેટલા વિવિધ ટ્રેડ્સ કાર્યરત

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં 8 અતિ આધુનિક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પી.પી.પી. મોડ દ્વારા સેટ-અપ કરવામાં આવ્યાં છે તેમજ ત્રણ લાખથી વધુ આદિવાસી યુવાનોને આવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આઈ.ટી.આઈ. અને કે.વી.કે. દ્વારા તાલીમ અને પ્લેસમેન્ટ મળ્યા છે. આદિજાતિ વિસ્તાર ધરમપુરમાં કાર્યરત પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર તેનું ઉત્તમ ઉદાહરણ છે.ધરમપુર PSVTCમાં 30 જેટલા વિવિધ ટ્રેડ્સ કાર્યરત છે. જેમાંથી આ સંસ્થાની શરૂઆતના ત્રણ વર્ષમાં જ તાલીમ પામેલા 500થી વધુ યુવાનોને રોજગારી મળી છે.


આ પણ વાંચોઃ Gujarat News: સરકારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા 7 દિવસ વધારી


  • Follow us on: